રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...
Chikhli (Rumla): જાગૃતિ વિદ્યાલય રૂમલાના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો.
ધો.10 અને ધો.12 એટલે વિદ્યાર્થીજીવનના સૌથી મહત્વના વર્ષો. જીવનની દિશા નિર્ધારિત કરનારા આ મહત્વના પડાવને પાર કરનારા જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે તારીખ : ૦૪-૦૨-૨ ૦૨૪નાં દિને વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ ઉત્તમ રીતે આગામી બૉર્ડ પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહિત કર્યા તથા શાળા પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.
Comments
Post a Comment