Skip to main content

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ.

ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત

યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને

સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ ચૂકવવા માટે થઈને આ ગ્રુપની રચના થઈ હતી. કોઈનોજન્મદિવસ હોય કોઈની મૃત્યુતિથિ હોય કોઈની લગ્ન વર્ષગાંઠ હોય કોઈ પરીક્ષામાં પાસ થયું હોય જેવા વગેરે સંદર્ભ એક યાદગીરી રૂપે એક સ્મૃતિ ભેટ રૂપે યથા યોગ્ય સહાય

આપવામાં માટે આગળ આવ્યા અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની થઈ હતી. આદિવાસી સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ કે જેઓ આર્થિક રીતે નબળા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસની ધગશ હોય અને ફી ભરવાની પરિસ્થિતિ ન હોય તેઓ માટે નાની મોટી સહાય 20,000 રૂપિયાની મર્યાદામાં ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના શિક્ષક રૂપેશ પટેલ સંકલ્પ ગ્રુપ સાથે જોડાઈને જણાવી રહ્યા છે વિના સહકાર નહિ ઉદ્ધાર, આર્થિક રીતે પગભર થયેલ લોકોએઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની સીડી બનાવાની જરૂર છે. હવે શિક્ષકો વધુને વધુ ગ્રુપમાં જોડાઈ રહ્યા જે સારી બાબત છે.

વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ-નવસારી જેવા આદિવાસી પટ્ટામાં અભ્યાસ કરતા બાળકોને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ સહાય પૂરી પાડે છે. સંકલ્પએજ્યુકેશન ગ્રુપ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ થકી ચાલી રહ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે સમાજ માટે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે. સંકલ્પ એજ્યુકેશનના નવ ગ્રુપ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

શું છે સંકલ્પગ્રુપનો સંકલ્પ?

■હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોમાં ગરીબ બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક,ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો તે કરવી. પ્રાથમિક સ્કૂલમાં બાળકીઓને સેનેટરી વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની જશે એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલા માટે મદદ કરવી. કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન - વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપી ને મદદ કરવી હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ તો સાથોસાથ એકલા રહેતા વડીલ હોય એમની મદદ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી નહિ ભરી શક્તા હોય એમની ફી ભરવી. હાલ આ ગૃપ શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

આ પ્રસંગે લોકોની મદદ મળે છે.

સંકલ્પ એજ્યુકેશનના વોટ્સ અપ ગ્રુપના સભ્યો જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ હોય કે અશુભ પ્રસંગે સ્વેચ્છાએ રૂપિયા 500થી લઈને 5000 સુધી ગ્રુપને આપે છે. એ જ રૂપિયા ગરીબ બાળકો સુધી કે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. મક્કમ ગતિએ થયેલી શરૂઆત આવનાર દિવસોમાં સામજ સેવાનું વટવૃક્ષ બની તેમાં કોઈ બે મત નથી.

સમાજસેવાનું સારૂ આયોજન શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.

આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો જ આગળ વધશે નહિતર આર્થિક રીતે નબળો વર્ગ વધુ નબળો બનશે. નોકરી કરતા મિત્રો મહિને 100 રૂપિયાની જ મદદ કરશે તો પણ ઘણી બધી સમાજસેવાનું સારું આયોજન થઈ શકે એમ છે. હાલમાં આ સેવાકિય પ્રવૃતિનો મહત્તમ લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અન્ય સહાય માટે પણ વિચાર કરાશે. 

મીનેશ પટેલ (નવસારી મહુડી), સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ

Post credit : Divya Bhaskar,(Mehul Patel) (03-06-2024)

Comments

Popular posts from this blog

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

             શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્ર...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂ...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...