Skip to main content

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

  સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે આશીર્વાદરૂપ બની અને કેવી રીતે ડોકટર બનવાનું સપનું પુરૂ કર્યુ તેની સમગ્ર કહાની આદિવાસી સમાજની તબીબ યુવતીના જ મુખેથી... વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડો. દર્શના ગોવિંદભાઈ પટેલ કહે છે કે, હું ધો.૧ માં ભણતી ત્યારે ૬ વર્ષની હતી તે સમયે મારા મમ્મી ઝાડા-ઉલટી જેવી સામાન્ય બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું ધો. ૬માં આવી ત્યારે મારી મમ્મી લતાબેનના મોતના કારણ વિશે ખબર પડી તો ત્યારથી જ મનોમન એવુ નક્કી કર્યુ હતું કે, ઝાડા-ઉલટી જેવી સામાન્ય માંદગીના કારણે કોઈનો જીવ જવો ન જોઈએ, ધરતી પર ડોકટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે જેથી મારા મનમાં ડોક્ટર બનવાની ઈચ્છા થઈ, જેથી મારા પરિવાર કે મારા ગામમાં કોઈ નજીવી બિમારીના કારણે મોતને ન ભેટે. ડોકટર બનવાના મારા સપનાને પુરા કરવા માટે ખૂબ મન લગાવી અભ્યાસ કર્યો અને વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં મને વર્ષ ૨૦૧૭માં પ્રવેશ મળ્યો હતો પરંતુ તે સમયે ફી ભરવા માટે અમારી પાસે પૈસા ન હતા. પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી મારી સાથે અન્ય બે બહેન અને ૧ ભાઈ મળી કુલ ચાર સંતાનના ભરણપોષણ અને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમે મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ આ ખરા સમયે અમારા પર તકેદારી કચેરી ( હાલની મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ કચેરી)માંથી સામેથી ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મળ્યું છે જેની ફી ભરવાની ચિંતા ન કરતા, ગુજરાત સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી તમારી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. આ શબ્દો સાંભળીને અમારા હૈયે ટાઢક વળી હતી. મારા સપનાને ઉડાન ભરવા માટે રાજ્ય સરકારે પાંખો આપી હોય એમ અમે બધા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આખરે ૨૦૨૨માં એમબીબીએસની ડિગ્રી મેળવી ગરીબ આદિવાસી સમાજની સેવા કરવા માટે સૌ પ્રથમ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સૌપ્રથમ સુથારપાડા સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર જોડાઈ હતી ત્યારબાદ બદલી થતા હાલ પિંડવળ સીએચસીમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહી છું. આગામી દિવસોમાં હું એમડી કરી યુપીએસસી-સીએમએસ (કમ્બાઈન મેડિકલ સર્વિસ)ની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યુ છે. એમડીની ડિગ્રી માટે પણ આ ફ્રી શીપ કાર્ડ યોજના ફરી મને મદદરૂપ થશે. ડો. દર્શના પટેલ વધુમાં કહે છે કે, આ યોજનાની બીજી સારી વાત એ છે કે, ૪ વર્ષ સુધી કોલેજ કરી એ ત્યારે સેમેસ્ટર કે વર્ષ પુરૂ થાય ત્યારે ફ્રી શીપ કાર્ડ રિન્યુ કરાવવાનો રહેતો નથી. એક વાર ફ્રી શીપ કાર્ડ મળે એટલે એમબીબીએસની ડિગ્રી મળે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. કોલેજની ફીનો તમામ ખર્ચ સરકાર ઉપાડી લે છે. જો આ યોજનાનો લાભ મને મળ્યો ન હોત તો કદાચ હું ડોકટર બની શકી ન હોત. જેથી આ યોજનાનો લાભ મળવા બદલ અને ગુજરાત સરકારે મારા સપનાને ઉડાન ભરવા માટે પાંખો આપી તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું. બોક્ષ મેટર ....તો હું મારી દીકરીને ડોકટર બનાવી શક્યો ન હોતઃ પિતા ગોવિંદભાઈ પટેલ ડો. દર્શના પટેલના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું કે, ચાર સંતાન હોવાથી તેમને ભણાવવા ગણાવવા અને ઘર ચલાવવા માટે મારી પાસે પશુપાલન સિવાય અન્ય કોઈ સ્ત્રોત ન હતો. દીકરી દર્શનાને ડોકટર બનવુ હતું પરંતુ હું સામાન્ય પરિવારનો હોવાથી જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેથી દીકરીને ડોકટર બનાવવાનું સપનું સાકાર કરવુ મુશ્કેલ લાગતુ હતું પરંતુ તે સમેય સરકાર સામે ચાલીને અમારે આંગણે આવી હોય એમ અમને ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ આપ્યો અને મારી દીકરી આજે ડોકટર બની ગઈ તેની મને બેહદ ખુશી છે, જો આ યોજનાનો લાભ મળ્યો ન હોત તો હું મારી દીકરીને ડોકટર બનાવી શકયો ન હોત. સરકારની આ યોજનાના લાભ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર ---- સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી...

Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

             શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્ર...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂ...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...