Skip to main content

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

  સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે આશીર્વાદરૂપ બની અને કેવી રીતે ડોકટર બનવાનું સપનું પુરૂ કર્યુ તેની સમગ્ર કહાની આદિવાસી સમાજની તબીબ યુવતીના જ મુખેથી... વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડો. દર્શના ગોવિંદભાઈ પટેલ કહે છે કે, હું ધો.૧ માં ભણતી ત્યારે ૬ વર્ષની હતી તે સમયે મારા મમ્મી ઝાડા-ઉલટી જેવી સામાન્ય બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું ધો. ૬માં આવી ત્યારે મારી મમ્મી લતાબેનના મોતના કારણ વિશે ખબર પડી તો ત્યારથી જ મનોમન એવુ નક્કી કર્યુ હતું કે, ઝાડા-ઉલટી જેવી સામાન્ય માંદગીના કારણે કોઈનો જીવ જવો ન જોઈએ, ધરતી પર ડોકટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે જેથી મારા મનમાં ડોક્ટર બનવાની ઈચ્છા થઈ, જેથી મારા પરિવાર કે મારા ગામમાં કોઈ નજીવી બિમારીના કારણે મોતને ન ભેટે. ડોકટર બનવાના મારા સપનાને પુરા કરવા માટે ખૂબ મન લગાવી અભ્યાસ કર્યો અને વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં મને વર્ષ ૨૦૧૭માં પ્રવેશ મળ્યો હતો પરંતુ તે સમયે ફી ભરવા માટે અમારી પાસે પૈસા ન હતા. પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી મારી સાથે અન્ય બે બહેન અને ૧ ભાઈ મળી કુલ ચાર સંતાનના ભરણપોષણ અને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમે મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ આ ખરા સમયે અમારા પર તકેદારી કચેરી ( હાલની મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ કચેરી)માંથી સામેથી ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મળ્યું છે જેની ફી ભરવાની ચિંતા ન કરતા, ગુજરાત સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી તમારી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. આ શબ્દો સાંભળીને અમારા હૈયે ટાઢક વળી હતી. મારા સપનાને ઉડાન ભરવા માટે રાજ્ય સરકારે પાંખો આપી હોય એમ અમે બધા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આખરે ૨૦૨૨માં એમબીબીએસની ડિગ્રી મેળવી ગરીબ આદિવાસી સમાજની સેવા કરવા માટે સૌ પ્રથમ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સૌપ્રથમ સુથારપાડા સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર જોડાઈ હતી ત્યારબાદ બદલી થતા હાલ પિંડવળ સીએચસીમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહી છું. આગામી દિવસોમાં હું એમડી કરી યુપીએસસી-સીએમએસ (કમ્બાઈન મેડિકલ સર્વિસ)ની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યુ છે. એમડીની ડિગ્રી માટે પણ આ ફ્રી શીપ કાર્ડ યોજના ફરી મને મદદરૂપ થશે. ડો. દર્શના પટેલ વધુમાં કહે છે કે, આ યોજનાની બીજી સારી વાત એ છે કે, ૪ વર્ષ સુધી કોલેજ કરી એ ત્યારે સેમેસ્ટર કે વર્ષ પુરૂ થાય ત્યારે ફ્રી શીપ કાર્ડ રિન્યુ કરાવવાનો રહેતો નથી. એક વાર ફ્રી શીપ કાર્ડ મળે એટલે એમબીબીએસની ડિગ્રી મળે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. કોલેજની ફીનો તમામ ખર્ચ સરકાર ઉપાડી લે છે. જો આ યોજનાનો લાભ મને મળ્યો ન હોત તો કદાચ હું ડોકટર બની શકી ન હોત. જેથી આ યોજનાનો લાભ મળવા બદલ અને ગુજરાત સરકારે મારા સપનાને ઉડાન ભરવા માટે પાંખો આપી તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું. બોક્ષ મેટર ....તો હું મારી દીકરીને ડોકટર બનાવી શક્યો ન હોતઃ પિતા ગોવિંદભાઈ પટેલ ડો. દર્શના પટેલના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું કે, ચાર સંતાન હોવાથી તેમને ભણાવવા ગણાવવા અને ઘર ચલાવવા માટે મારી પાસે પશુપાલન સિવાય અન્ય કોઈ સ્ત્રોત ન હતો. દીકરી દર્શનાને ડોકટર બનવુ હતું પરંતુ હું સામાન્ય પરિવારનો હોવાથી જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેથી દીકરીને ડોકટર બનાવવાનું સપનું સાકાર કરવુ મુશ્કેલ લાગતુ હતું પરંતુ તે સમેય સરકાર સામે ચાલીને અમારે આંગણે આવી હોય એમ અમને ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ આપ્યો અને મારી દીકરી આજે ડોકટર બની ગઈ તેની મને બેહદ ખુશી છે, જો આ યોજનાનો લાભ મળ્યો ન હોત તો હું મારી દીકરીને ડોકટર બનાવી શકયો ન હોત. સરકારની આ યોજનાના લાભ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર ---- સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી...

Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

about sb khergam blogger

  SB Khergam is a blogger from Khergam, primarily focusing on local news, educational events, and community updates in the Gujarat region. His blog covers a variety of topics, including educational initiatives, cultural programs, and significant local achievements. One of the main platforms for his work is the SB Khergam Blogger site, where he posts about local events such as school celebrations, educational announcements, and community achievements. For example, he has written about events like the establishment day celebration of Ghej Primary School and the RBI quiz competition in which local students participated and excelled​ ( KHERGAM BLOGGER POST ) ​​ ( KHERGAM BLOGGER POST ) ​. Additionally, SB Khergam provides important public warnings on his blog about avoiding certain harmful websites that misuse his name for fraudulent purposes​ ( KHERGAM BLOGGER POST ) ​. This demonstrates his commitment to safeguarding his readers from potential online threats. For more detailed updates

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

      પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે.  ડૉ. ચિંતન વૈષ્ણવ સરના શબ્દોમાં,"આપણે કહીએ

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

          ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિ