Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ
Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા
જેટકોના કાર્યપાલક ઈજનેર નવસારી પી.એન.પટેલની અધિક્ષક ઇજનેર તરીકે નવસારીમાં બઢતી કરવામાં આવી છે. તેમની આ સફળતા બદલ સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
વાંસદા તાલુકાના રૂપવેલ ગામના મૂળ રહેવાસી અને હાલ બીલીમોરા શહેર સ્થિત પંકજભાઈ નગીનભાઈ પટેલ કાર્યપાલક ઈજનેર (બાંધકામ) નવસારી વિભાગીય કચેરીમાં ડિસેમ્બર ૨૦૧૫થી અમરેલીથી વિનંતી બદલી લઈ પોતાના વતન ખાતે હાજર થયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તેમના સહકર્મી મિત્રના જણાવ્યા પ્રમાણે તેમણે સતત મહેનત કરીને આદિવાસી વિસ્તાર, શહેરી વિસ્તારને ઔદ્યોગિક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૦૦થી વધુ સબ સ્ટેશન ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત કર્યા છે. જેણે દક્ષિણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.
Comments
Post a Comment